પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંબાજી અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન કરાયું..
શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના આર્થિક અનુદાન અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિચરતી વિમુક્ત જ્ઞાતિના પરિવારોને મળશે.

ઘરનું ઘર સરકારશ્રીની વિવિધ યોજનાઓના કાર્ડનું મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરાયું.

ઘરમાં કોઈપણ પ્રકારનું દુષણ ન ઘૂસે અને એક સંપ થઈ રહો એવી શુભેચ્છાઓ પાઠવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ

શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.
મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

