ઈકબાલગઢમાં ગેસ લીકેજના કામે મોકડ્રીલ યોજાયો.
બનાસકાંઠાના ઈકબાલગઢ ગામના પંચમુખી હનુમાન મંદિર પાસેના ખુલ્લા ખેતરવાળી જગ્યામાં ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી કઈ રીતે કરવી તે હકીકતને લઈ ખાસ મ્રોકડીલ યોજવામાં આવ્યુ હતુ.



ગુરુવારે હેલી સવારે બનાસકાંઠા જીલ્લાના તથા રાજસ્થાન સિરોહી જીલ્લાના ગેસ પાઇપલાઇન સાથે સંકળાયેલા તમામ વિભાગના પદાધિકારીઓ ઈકબાલગઢ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે હાજર રહેલા અને અમીરગઢ પોલીસની હાજરીમાં ગેસ પાઇપલાઇન અચાનક ક્યાંક લીકેજ થઈ જાય અને આગ ફાટી નીકળે ત્યારે તેની ઉપર કઈ રીતે કાબુ મેળવવો અને આસપાસના વિસ્તારમાં કોઈ જાનહાની ન થાય કે ન નુકશાન થાય તે માટે બચાવ કામગીરી કઈ રીતે કરવી તે માટે પ્રેકટીસ કાર્યક્રમ યોજી વિસ્તૃત સમજુતી લોકો સુધી પહોચાડવામાં આવી હતી..



આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગેસ પાઇપલાઇન વિભાગના. H.P.C L પાલનપુરથી ૨મેશ રાજોરીયા. MDPL. રાવિયાના. H.M.P. L ગોપાલ ગુપ્તા. પ્રતિક શર્મા. સંદિપ પટેલ HSE અજીતસિંહ. ઘમેન્દ્રકુમાર હરીપાલ રાજપુત સિદ્ધપુર તેમજ અમિત રોહનકર તથા વિશાલ અગ્રવાલ ગેલઈન્ડીયા આબુરોડ ઉત્તમ કુમાર સાંતલપુર તેમજ અમીરગઢ પોલીસ અને અમીરગઢ મામલતદારની હાજરીમા ભવ્ય મ્રોકડીલ યોજવામાંઆવ્યુ હતુ.. સ્થળ ઉપર હાજર રહેલા લોકોમાં કૂતુહલ સર્જાઇ ગયુ હતુ.

