31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

ઇસ્લામાબાદની એક હોસ્પિટલમાં આગ લાગવાથી 15 નવજાત બાળકોના મોત થયા


ઇસ્લામાબાદની એક હોસ્પિટલમાં આગ લાગવાથી હાહાકાર મચી ગયો છે.જ્યાં એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે થયેલા આ અકસ્માતમાં 15 નવજાત બાળકોના મોત થયા છે.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડમાં આ દુર્ઘટના ઘટી હતી. પાકિસ્તાનની ન્યુઝ રિપોર્ટ મુજબ, જે સમયે આ દુર્ઘટના બની તે સમયે વોર્ડની નર્સરીમાં 16 નવજાત બાળકો હતા, જેમાંથી માત્ર એક જ બાળકને બચાવી શકાયુ છે.

બચાવકર્મીઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા માળે સવારે 7 વાગ્યે આગ લાગવાની શરૂઆત થઈ હતી.

આગ લાગવાની માહિતી મળતા જ રાહત અને બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ અને ચાર એમ્બ્યુલન્સ કામે લગાડવામાં આવી હતી. નવજાત બાળકોના મૃત્યુથી પરિજનોનું રડી રડીને (ખૂબ જ ખરાબ હાલત) થઈ ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની વાત કહેવામાં આવી છે. તંત્ર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે જે આગ લાગવાના અસલી કારણોની તપાસ કરશે અને સાથે જ એ વાતની પણ તપાસ કરશે કે આ ઘટના કઈ પરિસ્થિતિમાં બની અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક રહી ગઈ હતી કે નહીં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -