34.3 C
Ahmedabad
Tuesday, June 23, 2026

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં મોટું ભંગાણ, 6 સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાયા


મહારાષ્ટ્રના રાજકારણમાંથી આ વક્તના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. શિવસેના (UBT) ના 6 બાગી સાંસદો એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. આ બાગી સાંસદોના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે.

6 બાગી સાંસદોના નામ:

  1. સંજય હરિભાઉ જાધવ

  2. ભાઉસાહેબ રાજારામ વાકચૌરે

  3. ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિંબાલકર

  4. સંજય દીના પાટીલ

  5. સંજય ઉત્તમરાવ દેશમુખ

  6. નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકર

એકનાથ શિંદેનું મોટું નિવેદન

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “આજે અમારી સાથે 6 સાંસદો જોડાયા છે—સંજય હરિભાઉ જાધવ, भाऊसाहेब રાજારામ વાકચૌરે, ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિંબાલકર, સંજય દીના પાટીલ, સંજય ઉત્તમરાવ દેશમુખ અને નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકર. એટલે કે હવે અમારી સાથે અહીં ત્રણ ‘સંજય’ છે! અમારી પાસે સંજય રાઠોડ (ધારાસભ્ય) પણ પહેલેથી જ છે. જ્યારે અમારી પાસે આટલા સંજય છે. ત્યારે અમારે બીજા કોઈ સંજય (સંજય રાઉત તરફ ઈશારો કરતા) વિશે વાત કરવાની કોઈ જરૂર નથી. અને તમે બધા સારી રીતે જાણો છો કે હું કોની વાત કરી રહ્યો છું.”

એકનાથ શિંદેએ વધુમાં ઉમેર્યું કે હવે અહીં એક નહીં પણ છ-છ ‘ટાઈગર’ હાજર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અમે કોઈ પણ ઓપરેશન અડધું-અધૂરું નથી રાખતા. ઓપરેશન સંપૂર્ણપણે પૂરું થઈ ચૂક્યું છે અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરીને આ છ સાંસદો અમારી સાથે જોડાયા છે.”

હવે “ઓપરેશન ટાઈગર” સંપૂર્ણપણે સફળ: શિંદે

રવિવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે, તેમની પાર્ટી સતત મજબૂત થઈ રહી છે અને હવે “ઓપરેશન ટાઈગર” સંપૂર્ણપણે સફળ રહ્યું છે. શિંદેએ યાદ અપાવ્યું કે પાર્ટીના સ્થાપના દિવસ (વર્ધાપન દિવસ) પર જ તેમણે નવા નેતાઓ જોડાવાના સંકેત આપ્યા હતા અને હવે છ સાંસદો તેમની શિવસેના સાથે આવી ગયા છે. તેમણે કહ્યું કે તેમના પરિવારમાં “કટ્ટર શિવસૈનિકો” નું દિલથી સ્વાગત છે.

વર્ષ 2022ના રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “ચાર વર્ષ પહેલાં જ્યારે અમે બગાવત (ઉઠાવ) કરી હતી, ત્યારે 40 ધારાસભ્યો અમારી સાથે હતા. તે સમયે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય શિવસેના અને બાળાસાહેબ ઠાકરેના વિચારોને બચાવવાનો હતો. હવે આ આખો બીજો અધ્યાય શરૂ થયો છે, જેમાં છ સાંસદો અમારી સાથે જોડાયા છે.”

પાર્ટીમાં સામેલ થયેલા તમામ નેતાઓ જમીન સાથે જોડાયેલા કાર્યકરો છે”

એકનાથ શિંદેએ જણાવ્યું કે પાર્ટીમાં સામેલ થયેલા તમામ નેતાઓ જમીની સ્તરના કાર્યકરો છે. તેઓ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ પોતાના વિસ્તારના અને જનતાના વિકાસ માટે શિવસેનામાં આવ્યા છે. શિંદેએ ગર્જના કરતા કહ્યું, અમે કોઈના રસ્તામાં આડા નથી આવતા, પણ જો કોઈ અમારા રસ્તામાં આડું આવશે તો અમે તેને છોડતા પણ નથી.”

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે જનતાએ તેમની દાનત અને વિચારધારા પર ભરોસો મૂક્યો છે. ધારાસભ્યો, સાંસદો, સરપંચો અને કાઉન્સિલરો એ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને આ જનસમર્થન તેમની સાફ નીતિ અને વિકાસના એજન્ડાનું પરિણામ છે. શિંદેએ છેલ્લે સ્પષ્ટ કર્યું કે નવા સભ્યોને પાર્ટીમાં સામેલ કરવાની સમગ્ર પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓ હેઠળ જ પૂર્ણ કરવામાં આવી છે અને આનાથી શિવસેના સંગઠન વધુ મજબૂત બનશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -