ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભીષણ વળાંક: શરીફ યુનિવર્સિટી પર અમેરિકી એરસ્ટ્રાઈક, 15નાં મોત

“તમારા સ્વાસ્થ્યની સાચી ઓળખ – ક્રિશ્ના લેબોરેટરી. ચોકસાઈ અને વિશ્વાસનો સંગમ.”
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનની રાજધાનીમાં આવેલી પ્રતિષ્ઠિત શરીફ યુનિવર્સિટી પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું.. આ હુમલામાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો છે.
હુમલાની તીવ્રતા અને જાનહાનિ
હુમલો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો.
-
મૃતકોનો આંકડો: અત્યાર સુધીમાં 15થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા.જેમાં યુનિવર્સિટીનો ટેકનિકલ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ અને નજીકના ગેસ વિતરણ કેન્દ્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
-
ઇજાગ્રસ્તો: વિસ્ફોટને કારણે આસપાસની ઇમારતોને ભારે નુકસાન થયું.અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા.. જેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
નિશાન પર કેમ હતી યુનિવર્સિટી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હવાઈ હુમલા પાછળ ચોક્કસ વ્યૂહાત્મક કારણો હોવાનું માનવામાં આવે છે:
-
મિસાઈલ પ્રોગ્રામ: શંકા છે કે આ યુનિવર્સિટી ઈરાનના ‘રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ અને હથિયારોના સંશોધન સાથે સંકળાયેલી હતી.
-
મુખ્ય લક્ષ્ય: યુનિવર્સિટી કેમ્પસની સાથે ત્યાં આવેલું કુદરતી ગેસ વિતરણ કેન્દ્ર મુખ્ય નિશાન હતું. ગેસ કેન્દ્રમાં પ્રસ્ફોટ થવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી.
વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
સદનસીબે, આ હુમલામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના મોત ટળ્યા છે:
-
તેહરાનમાં હાલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઇન મોડ પર કાર્યરત હોવાથી કેમ્પસમાં વિદ્યાર્થીઓની હાજરી નહોતી. જો યુનિવર્સિટી ચાલુ હોત તો આ હોનારત અનેકગણી મોટી હોઈ શકત.
વૈશ્વિક સ્થિતિ
આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના આ સીધા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે. ઈરાન આ હુમલાનો વળતો જવાબ કઈ રીતે આપશે તેના પર હવે દુનિયાની નજર છે.
- Advertisement -
- Advertisement -