કેન્દ્ર સરકારે મોટા ઉદ્યોગોના દેવા માફ કર્યા,પરંતુ વાયનાડ ભૂસ્ખલન પીડિતોના નહીં: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વાયનાડ ભૂસ્ખલન પીડિતોના દેવા માફ ન કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું કે તેમને મોટા ઉદ્યોગોના દેવા માફ કરવામાં કોઈ ખચકાટ નથી.
પાર્ટી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, પ્રિયંકા કેરળ હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના વલણ પર પ્રતિક્રિયા આપી હતી કે તે વાયનાડ ભૂસ્ખલન પીડિતોના દેવા માફ કરી શકતી નથી.વાયનાડના કોંગ્રેસ સાંસદ પ્રિયંકાએ કહ્યું કે તેઓ હાઈકોર્ટના અવલોકન સાથે સંપૂર્ણપણે સંમત છે કે કેન્દ્ર સરકારે જરૂરિયાતના સમયે પીડિતોને નિરાશ કર્યા છે.
કેરળ હાઈકોર્ટે તીખી ટિપ્પણી કરી હતી કે કેન્દ્ર સરકારે વાયનાડમાં 2024 માં થયેલા ભૂસ્ખલનના પીડિતોના દેવા માફ કરવાના પોતાના અધિકારનો ઉપયોગ ન કરીને તેમને લગભગ નિરાશ કર્યા છે.
કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વી.ડી.સતીસન પણ કેન્દ્ર સરકારના વલણ સાથે અસંમત હતા. તેને “ખોટું પગલું” ગણાવ્યું.તેમણે કહ્યું કે, ભૂસ્ખલનનો ભોગ બનેલા લોકો પાસે તમામ પ્રકારના દેવા છે. પરંતુ આવક કે મિલકતનો કોઈ સ્ત્રોત નથી.આવા સંજોગોમાં દેવા માફી જરૂરી બની જાય છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે 30 જુલાઈના રોજ મુંડક્કાઈ અને ચુરમાલા વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે બંને વિસ્તારો લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.આ દુર્ઘટનામાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અને સેંકડો ઘાયલ થયા હતા.
- Advertisement -
- Advertisement -