કુદરતી આફતોને પગલે અમિત શાહની મોટી જાહેરાત, ખાસ ટીમની રચના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશ જેવી કુદરતી આફતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને એક ખાસ ટીમની રચના કરી છે.આ એક બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમ છે. અમિત શાહે વાદળ ફાટવા, પૂર, ભૂસ્ખલન અને મુશળધાર વરસાદને કારણે રાજ્યની પરિસ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. અધિકારીઓએ ગૃહમંત્રીને જણાવ્યું હતું કે આ વખતે કુદરતી આફતોને કારણે હિમાચલ પ્રદેશમાં ભારે નુકસાન થયું છે.
ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક હિમાચલપ્રદેશ અંગે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિઓરોલોજી (IITM) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ઇન્દોરના નિષ્ણાતોની બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે, તે રાજ્યને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે.આફતો અંગે રિપોર્ટ તૈયાર કરશે. જે વિસ્તારોમાં નુકસાન થયું છે તેમને ફરીથી વસાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
મીટિંગમાં કહેવામાં આવ્યું છે કે, ટીમને હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવશે. આ રાઉન્ડ શરૂ થયો છે.આ ટીમ સમગ્ર રાજ્યના તે ભાગોમાં જઈ રહી છે જ્યાં ભારે નુકસાન થયું છે. દરેક જગ્યાએથી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધા વિસ્તારોના પુનર્વસન માટે મોટી રકમ ખર્ચ કરવામાં આવશે.ટીમનો પ્રવાસ 21 જુલાઈ સુધીમાં પૂર્ણ થશે.આ રિપોર્ટ કેન્દ્રીય મંત્રીને સુપરત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશ માટે પ્રથમ રાહત હપ્તો જારી કર્યો છે.વર્ષ 2023 ની આફતોથી થયેલા નુકસાનની ભરપાઈ માટે હિમાચલ પ્રદેશને 2006.40 કરોડ રૂપિયાની સહાય પહેલાથી જ મંજૂર કરવામાં આવી છે. આમાંથી 7 જુલાઈ 2025 ના રોજ 451.44 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવામાં આવ્યો છે.ઉપરાંત રાજ્ય આપત્તિ રાહત ભંડોળમાંથી 198.80 કરોડ રૂપિયાના કેન્દ્રીય હિસ્સાનો પ્રથમ હપ્તો પણ 18 જૂન 2025 ના રોજ હિમાચલને આપવામાં આવ્યો છે.
- Advertisement -
- Advertisement -