રશિયા: ભારતીય સાંસદોનું પ્રતિનિધિમંડળ માંડ માંડ બચ્યું..ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ ડ્રોન હુમલો થયો

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદીઓને જવાબ આપ્યો હતો… આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાને આતંકવાદીઓના સમર્થનથી ભારત પર ઘણા હુમલા કર્યા.. પરંતુ ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા… ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જે હજુ પણ ચાલુ છે. આ કાર્યવાહી પછી, ભારતે આતંકવાદના મુદ્દા પર વૈશ્વિક સ્તરે પોતાના વિચારો રજૂ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું. આ સંદર્ભમાં, ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં ભારતીય સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રશિયા પહોંચ્યું. જોકે, રશિયા પહોંચ્યા બાદ તેમના વિમાનને લગભગ 45 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવવું પડ્યું.
ડીએમકે નેતા કનિમોઝીના નેતૃત્વમાં ભારતીય સાંસદોનું એક પ્રતિનિધિમંડળ આજે મોસ્કો પહોંચ્યું હતું. આ દરમિયાન, ડ્રોન હુમલાના ડરથી તેમના વિમાનને થોડા સમય માટે હવામાં ચક્કર લગાવવું પડ્યું.. પરંતુ બાદમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું..કનિમોઝી કેન્દ્ર દ્વારા નિયુક્ત સાંસદોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા.. જે ભારતના ઓપરેશન સિંદૂર પછી આંતરરાષ્ટ્રીય આઉટરીચ અભિયાનના ભાગ રૂપે મોકલવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર એ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતું લશ્કરી ઓપરેશન હતું.
વિમાનને હવામાં ફેરવવું પડ્યું
“વિમાન હવામાં ચક્કર લગાવ્યું અને પછી ઉતર્યું. 45 મિનિટનો વિલંબ થયો. કનિમોઝી સુરક્ષિત રીતે ઉતર્યા,” ડીએમકે સાંસદ કનિમોઝીના નજીકના સૂત્રોએ જણાવ્યું. પહેલગામ હુમલાના એક મહિના પછી, એક બહુપક્ષીય પ્રતિનિધિમંડળ ગુરુવારે રાત્રે મોસ્કો પહોંચ્યું હતું.. જે પાંચ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પ્રાયોજિત સરહદ પાર આતંકવાદના મુદ્દા વિશે જાગૃત કરશે. પહેલગામ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોસ્કોના ડોમોડેડોવો આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ભારતીય રાજદૂત વિનય કુમાર અને અન્ય અધિકારીઓએ કનિમોઝી અને તેમના સાથીઓનું સ્વાગત કર્યું હતુ..
- Advertisement -
- Advertisement -