બેશરમી : “એરલાઇન્સ કંપનીઓએ પોતાનો રોટલો શેક્યો…ટિકિટના ભાવમાં કર્યો વધારો

પહેલગામ હુમલા પછી તરત જ એરલાઇન્સે ટિકિટના ભાવમાં વધારો કર્યો હતો.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આ મામલે સરકાર પણ હરકતમાં આવી છે.. એરલાઇન્સને ભાડા ન વધારવા જણાવ્યું છે. સરકારી હસ્તક્ષેપ બાદ એરલાઇન્સે શ્રીનગરથી વધારાની ફ્લાઇટ્સ પણ શરૂ કરી છે.
મંગળવારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. આના કારણે, કાશ્મીરના વિવિધ સ્થળોએ હાજર પ્રવાસીઓ ડરી ગયા હતા.. અને તેઓ તાત્કાલિક પોતાના ઘરે પાછા ફરવા માંગતા હતા..જેના કારણે મુસાફરોની સંખ્યામાં અચાનક વધારો થયો હતો. આવી સ્થિતિમાં એરલાઇન્સે પણ ભાડામાં વધારો કર્યો હતો..
- Advertisement -
- Advertisement -