કેનેડા : ગુરુદ્વારા બાદ ખાલિસ્તાન સમર્થકોએ હિંદુ મંદિર પર કર્યો હુમલો

કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો સિલસિલો યથાવત છે…ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટિશ કોલંબિયા સ્થિત લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવ્યું હતુ…કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સે એક વીડિયો શેર કર્યો..અને આ હુમલાની સખત નિંદા કરી..કેનેડામાં ‘હિન્દુફોબિયા’ પર ચિંતા વ્યક્ત કરી છે.
સંગઠને તેને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ તોડફોડ ગણાવી છે..તેને ‘#હિન્દુફોબિયા’નું ઘૃણાસ્પદ ઉદાહરણ ગણાવ્યું છે.
‘આ પ્રકારની નફરતને કેનેડામાં કોઈ સ્થાન નથી’
CHCC એ તેના નિવેદનમાં કહ્યું, ‘કેનેડામાં આવા ઘૃણાસ્પદ કૃત્યોનું કોઈ સ્થાન નથી.’ તેમણે કેનેડાની તમામ સરકારો પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે..તમામ કેનેડિયન નાગરિકોને નફરત સામે એક થવા અપીલ કરી છે.
- Advertisement -
- Advertisement -