31 C
Ahmedabad
Monday, March 2, 2026

પાટણ : બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત


આજે પાટણ જિલ્લામાં ઓટોરિક્ષા અને રાજ્ય પરિવહન બસ વચ્ચે થયેલી ટક્કરમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સમી-રાધનપુર હાઇવે પર સમી ગામ નજીક થયો હતો. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ જણાવ્યું કે રાજ્ય પરિવહન બસ હિંમતનગરથી કચ્છ તરફ જઈ રહી હતી.. જ્યારે ત્રણ પૈડાવાળી ગાડી વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી.

ઓટોરિક્ષામાં સવાર ડ્રાઈવર સહિત તમામ છ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે ઓટો રિક્ષાનો ભાગ બસ નીચે ફસાઈ ગયો હતો..અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે બસના ડ્રાઇવરે બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો.. જેના કારણે આ અકસ્માત થયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -