PM મોદીથી લઇને રાહુલ ગાંધી…સંસદ ભવનમાં આ રીતે બાબાસાહેબ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ..

આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ છે..આ દરમિયાન, સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી..રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,,ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને અનેક કેન્દ્રીય મંત્રીઓ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભાવાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી..
પ્રેરણા સ્થળ ખાતે કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજ્જુ,,અર્જુન રામ મેઘવાલ,,પીયુષ ગોયલ..બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા..લોકસભા સ્પીકર ઓમ બિરલા…દિલ્હીના સીએમ રેખા ગુપ્તા..કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી…કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે,,અને હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ભૂપિન્દ્રસિંહ હુડ્ડાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી..
PM મોદીએ આંબેડકરના વારસાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે,, આંબેડકરના આદર્શોએ આત્મનિર્ભર અને વિકસિત ભારતની રચનાને શક્તિ અને ગતિ આપી છે…
પીએમ મોદીએ કહ્યું કે તમામ દેશવાસીઓ વતી ભારતરત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર કરોડો વંદન..તેમની પ્રેરણાને કારણે જ આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત છે…તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપશે…
- Advertisement -
- Advertisement -