38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે દિલ્હી એમ્સમાં નિધન થયું


પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે 9:51 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ એક તેજસ્વી અર્થશાસ્ત્રી હતા. તેઓ 1991માં દેશમાં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણના આર્કિટેક્ટ હતા. તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન હતા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે થશે, જેના માટે શુક્રવારે સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે શનિવારે કરવામાં આવશે. અમે સત્તાવાર રીતે જાહેરાત કરીશું. મનમોહન સિંહના નિધનને દેશ માટે દુ:ખદ ખોટ ગણાવતા તેમણે કહ્યું કે મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતીક હતા.

કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે આવતીકાલે કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -