ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે ફાસ્ટ બોલરની ફિટનેસ અંગે માહિતી આપી અને તેને ઓસ્ટ્રેલિયા સામેની આગામી બે ટેસ્ટ માટે અનફિટ જાહેર કર્યો. તાજેતરમાં, ત્રીજી ટેસ્ટ મેચ પછી, કેપ્ટન રોહિત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડમીના અધિકારીઓને શમીની ફિટનેસ પર સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું અને હવે ભારતીય બોર્ડે તેને અનફિટ જાહેર કર્યો છે.
શમીને ઘૂંટણની ઈજાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટેની 18-સભ્ય ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. શમી ગયા વર્ષે ઓડીઆઈ વર્લ્ડ ફાઈનલથી ભારતીય ટીમની બહાર છે અને રણજી ટ્રોફી દ્વારા મેદાનમાં પરત ફર્યો હતો. શમી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યો છે અને BCCIની મેડિકલ ટીમ તેના પર સતત નજર રાખી રહી હતી.
શમીને ઘૂંટણમાં થોડો સોજો છે.
બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે શમી ઘૂંટણની ઈજાને કારણે લાંબા સમયથી ટીમની બહાર છે અને તેઓ શમીના ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા રાખે છે. શમીની ફિટનેસ અંગે માહિતી આપતાં BCCIએ કહ્યું કે, BCCIની મેડિકલ ટીમ ભારતીય ફાસ્ટ બોલર શમી સાથે નજીકથી કામ કરી રહી છે જેથી તે ઈજામાંથી જલ્દી બહાર આવી શકે. શમી પગની ઘૂંટીની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો હતો. શમીએ રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે બંગાળ માટે 43 ઓવર ફેંકી હતી. વધુમાં, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તમામ નવ મેચો રમી હતી, જ્યાં તેણે ટેસ્ટ મેચો માટે ફિટ થવા માટે વધારાના બોલિંગ સત્રોમાં ભાગ લીધો હતો.

