31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઉત્તરપ્રદેશ : સંભલમાં જામા મસ્જિદના સર્વેને લઈને તણાવ, પથ્થરમારો બાદ લાઠીચાર્જ… અધિકારીઓના વાહનો સળગ્યા


સંભલની જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદે રવિવારે મોટો વળાંક લીધો હતો. મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ, ફરીથી સર્વે દરમિયાન હંગામો અને ભારે પથ્થરમારો થયો હતો. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.

રવિવારે સવારે લગભગ 6 વાગ્યે સંભલના ડીએમ ડો. રાજેન્દ્ર પાંસિયા અને એસપી કૃષ્ણ કુમાર વિશ્નોઈ સાથે સર્વેની ટીમ જામા મસ્જિદ પહોંચી. આ દરમિયાન કોર્ટ કમિશનર રમેશ રાધવના નેતૃત્વમાં મસ્જિદનો સર્વે શરૂ થયો હતો. સ્થાનિક લોકોને મસ્જિદ પર સર્વેની માહિતી મળતા જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદની બહાર એકઠા થઈ ગયા હતા.

મુસ્લિમ સમુદાયના લોકોએ રજાના દિવસે વહેલી સવારે આ સર્વે સામે વાંધો ઉઠાવ્યો હતો. થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો મસ્જિદની બહાર એકઠા થઈ ગયા અને ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસના ખુલાસા છતાં ટોળાએ હંગામો મચાવ્યો હતો.

મસ્જિદની સુરક્ષા વધારી દેવામાં આવી છે

પથ્થરમારો અને હંગામા બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પ્રશાસને જામા મસ્જિદની આસપાસ બેરિકેડિંગ કરીને વિસ્તારને સીલ કરી દીધો છે. ડીએમ, એસપી અને એડીએમ સહિત જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. નજીકના પોલીસ સ્ટેશનોમાંથી વધારાના પોલીસ દળોને પણ બોલાવવામાં આવ્યા છે.

સવારે 7:30 વાગ્યાથી લગભગ બે કલાક સુધી મસ્જિદની અંદર સર્વે ચાલુ રહ્યો. કોર્ટ કમિશનર રમેશ રાધવની આગેવાની હેઠળની ટીમે મસ્જિદના વિવિધ ભાગોનું નિરીક્ષણ કર્યું હતું. સર્વે પૂર્ણ થયા બાદ ટીમ ત્યાંથી રવાના થઈ હતી. આ કેસની આગામી સુનાવણી 29 નવેમ્બરે થવાની છે, જેમાં સર્વેનો પ્રાથમિક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -