24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી છે. વાસ્તવમાં યોગી આદિત્યનાથને મહારાષ્ટ્ર પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપવામાં આવી છે અને તેમને સીએમ પદ પરથી રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસે આ અંગે યુપી પોલીસને પણ જાણ કરી છે. કેસની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો છે. શહેર પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને એક અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો આદિત્યનાથે સીએમ પદ પરથી રાજીનામું નહીં આપે તો તેમને એનસીપી નેતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ એલર્ટ પર છે કારણ કે યોગી આદિત્યનાથ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્ર આવી શકે છે. તેઓએ ધમકીભર્યા મેસેજની તપાસ શરૂ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -