
ગુજરાતમાં ટ્રેન પલટી મારવાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવાયું હતું. સુરત નજીક વડોદરા ડિવિઝન હેઠળના અપ લાઇન રેલવે ટ્રેક સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેટલાક અજાણ્યા શખ્સોએ ટ્રેકની ફિશ પ્લેટ અને ચાવી ખોલી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતી છે.
અજાણ્યા લોકોએ અપ લાઇનના ટ્રેક પરથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ કાઢીને કીમ રેલવે સ્ટેશન પાસે તેજ ટ્રેક પર રાખી દીધી હતી. આ પછી ટ્રેનની અવરજવર રોકવી પડી હતી. જરૂરી વ્યવસ્થા અને તપાસ બાદ ટૂંક સમયમાં જ લાઇન પર સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે રેલ્વે દુર્ઘટનાઓનું કોઈ પણ કાવતરું લાંબું ચાલશે નહીં અને સરકાર ટૂંક સમયમાં દેશભરમાં 1.10 લાખ કિલોમીટર લાંબા રેલ્વે નેટવર્કની સુરક્ષા માટે એક યોજના લાવશે. તેમનું નિવેદન દેશમાં તાજેતરમાં થયેલા રેલ અકસ્માતોને લઈને આવ્યું છે. આમાંના મોટા ભાગના કિસ્સાઓમાં, રેલ્વે ટ્રેક સાથે છેડછાડ કરવામાં આવી હતી. તેમના પર ગેસ સિલિન્ડર જેવા અવરોધો મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત તોડફોડ અને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર દેખાતું હતું.
100 દિવસમાં 38 રેલવે અકસ્માતનો દાવો
કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 38 રેલવે અકસ્માતો થયા છે. તેમણે વૈષ્ણવ પર આ અકસ્માતોને નાની ઘટનાઓ તરીકે નકારી કાઢવાનો આરોપ લગાવ્યો હતો.

