
વડોદરામાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીના પૂરથી થયેલી નુકસાનીના કારણે વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ છે. લોકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.. વેપારીઓની દુકાનોમાં રહેલો માલ-સામાન પલળી ગયો હતો.
જ્યારે ઘરમાં લોકોની ઘરવખરી પલળીને બગડી ગઈ.. ત્યારે લોકોના રોષના કારણે ભાજપ માટે વડોદરામાં વસમી સ્થિતિ ઉદભવી છે. તેવામાં ભાજપે એલાન કર્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમની મંત્રીમંડળના તમામ મંત્રી તથા ભાજપના તમામ ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતનિધીમાં જમા કરાવશે.. જેના દ્વારા વડોદરાના પૂર પીડિતોની મદદ કરવામાં આવશે..
સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે આ તમામ પ્રજાના પ્રતિનિધીઓ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધીમાં પ્રાપ્ત થનાર રકમ વડોદરાના પુર પીડિતોના પુન:વસન અને તેમના મદદ માટે ઉપયોગમાં લેવામાં આવશે..

