
સમગ્ર રાજ્યમા ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે.. લોકો પાંચ દિવસ, દસ દિવસ માટે બાપ્પાની સ્થાપના કરતા હોય છે…જે બાદ બાપ્પાનું વિસર્જન કરતા હોય છે.. ત્યારે અમદાવાદના એક ગણેશ ભક્ત દ્વારા બાપ્પાનું ધામધૂમ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું..નવા નરોડા વિસ્તારમાં રહેતા જતીન કિરીટકુમાર રાવલ દ્વારા બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું…જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.



પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ રાવલ પરિવાર છેલ્લા પાંચ વર્ષથી ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરે છે..અને પાંચમા દિવસે તેમના નિવાસ સ્થાને બાપ્પાનું વિસર્જન કરે છે.આ પાંચ દિવસ દરમ્યાન રાવલ પરિવાર ભગવાન ગણેશના ગુણગાન ગાય છે..સવાર સાંજ આરતી તેમજ બાપ્પાને થાળ ધરાવે છે..




ખાસ વાત એ છે કે છેલ્લા દિવસે બાપ્પાને 56 ભોગ ધરવામાં આવે છે..જે બાદ આરતી કરી બાપ્પાને ધામધૂમ પૂર્વક વિદાય આપવામાં આવી હતી.


મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ વિઘ્નહર્તા ગણેશને અગલે બરસ તુમ જલદી આના ના નાદ સાથે વિદાય આપી હતી વિદાય આપી હતી.

