ડિસેમ્બર 2023 મહિનામાં છૂટક ફુગાવાના દરમાં વધારો થયો છે. ડિસેમ્બરમાં છૂટક ફુગાવાનો દર 5.69 ટકા હતો જે નવેમ્બરમાં 5.55 ટકા હતો. ઓક્ટોબર મહિનામાં છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો. શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં છૂટક મોંઘવારી વધી છે.
ખાદ્ય ફુગાવો 9.53 ટકાઃ-
આંકડા મંત્રાલયે છૂટક ફુગાવાના દરના આંકડા જાહેર કર્યા છે. ડિસેમ્બર મહિનામાં ખાદ્ય મોંઘવારી દરમાં વધારો થયો છે. ખાદ્ય ફુગાવાનો દર 9.53 ટકા રહ્યો છે જે નવેમ્બરમાં 8.70 ટકા હતો. ફળો, શાકભાજી, કઠોળ, મસાલા, ખાંડ અને અનાજના ભાવમાં વધારો થવાને કારણે ખાદ્યપદાર્થોની મોંઘવારી વધી છે.
કઠોળની મોંઘવારીથી રાહત નથી
ડિસેમ્બર મહિનામાં કઠોળના મોંઘવારી દરમાં વધારો થયો છે અને તે વધીને 20.73 ટકા થયો છે જે નવેમ્બર મહિનામાં 20.23 ટકા હતો. શાકભાજીના મોંઘવારી દરમાં મોટો વધારો થયો છે અને તે વધીને 27.64 ટકા થયો છે જે ગયા મહિને 17.70 ટકા હતો. અનાજ અને સંબંધિત ઉત્પાદનોના ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે અને તે 9.93 ટકા રહ્યો છે જે અગાઉના સપ્તાહમાં 10.27 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 19.69 ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં 21.55 ટકા હતો. ફળોનો ફુગાવાનો દર 11.14 ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં 10.95 ટકા હતો.
મોંઘી EMIમાંથી હજુ સુધી કોઈ રાહત નથી
રિટેલ ફુગાવો સરકાર અને આરબીઆઈ માટે ચિંતામાં વધારો કરશે. ખાસ કરીને શાકભાજી અને કઠોળની મોંઘવારી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી, જેની અસર છૂટક મોંઘવારી દર પર દેખાઈ રહી છે. આરબીઆઈ ફેબ્રુઆરી મહિનામાં નાણાકીય નીતિ જાહેર કરશે. આવી સ્થિતિમાં રિટેલ મોંઘવારી વધ્યા બાદ સસ્તી લોનની આશા ઠગારી નીવડી છે. ગોલ્ડમેન સૅક્સે તેની એક નોંધમાં કહ્યું છે કે આરબીઆઈ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરથી વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે.

