દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ છે. રવિવારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના વિસ્તારમાં જઈને લોકોને મળ્યા હતા. તેમજ નર્મદાના નેત્રગમાં અરવિંદ કેજરીવાલની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેજરીવાલે ચૈતર વસાવા અંગે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, આવનારી લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા લડશે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તેનું ખાતું ખોલાવ્યું હતું, જ્યાં તેના પાંચ નેતાઓએ જીત મેળવી હતી. પાછળથી, પાર્ટીને આંચકો લાગ્યો જ્યારે એક ધારાસભ્ય, ભૂપેન્દ્ર ભાયાણીએ ગયા વર્ષે પાર્ટી છોડી દીધી. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે અને પાર્ટીઓએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

