રાજ્યમાં દિવાળીનો માહોલ જામ્યો છે. ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી હતી..દિવાળીની રજાઓ પડતા મોટી સંખ્યામાં સુરતથી પોતાના વતન જવા માટે મુસાફરો સુરત રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા ટ્રેન આવતાની સાથે ટ્રેનમાં ચઢવા જતાં ભાગદોડમાં પાંચ જેટલા લોકો બેભાન થયા હોવાના બનાવ સામે આવ્યા છે..
બેભાન થયેલા લોકોને બચાવવા માટે રેલ્વે પોલીસ અને ગુજરાત પોલીસે CPR આપ્યા. રેલ્વે પોલીસે માઉથ બ્રેધિંગ આપી લોકોના જીવ બચાવ્યા..મહત્વનું છે કે, સુરત રેલ્વે સ્ટેશન પર દિવાળીના સમયે દર વર્ષો આ પરિસ્થિનું નિર્માણ થાય છે તે છતાં તંત્ર ક્યારે યોગ્ય વ્યવસ્થા ઊભી કરશે તે મોટો સાવલ છે.

