યુટ્યુબર એલ્વિશ યાદવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મેનકા ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશના નોઈડામાં સાપનું ઝેર સપ્લાય કરવાના મામલામાં એફઆઈઆર નોંધાયા બાદ તેણે આ ધમકી આપી હતી.એક અહેવાલ મુજબ, એક વ્લોગ પોસ્ટમાં એલ્વિશ યાદવે મેનકા ગાંધી પર તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સત્ય જલ્દી બહાર આવશે. તેમણે કહ્યું, “મેનકા ગાંધીએ મને સાપ સપ્લાયર્સનો વડા કહ્યો. હું તેમની સામે માનહાનિનો કેસ કરીશ.”
યુટ્યુબરે વધુમાં કહ્યું, “હું તેમને છોડીશ નહીં. હવે હું આ બધી બાબતોને લઈને સક્રિય થઈ ગયો છું. પહેલા હું વિચારતો હતો કે મારે મારો સમય બગાડવો જોઈએ નહીં, પરંતુ હવે મારી છબી પર અસર થઈ રહી છે.”
પોલીસ તપાસ શરૂ કરશે ત્યારે હું વીડિયો બનાવીશ’
બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવે કહ્યું, “જ્યારે પોલીસ તપાસ શરૂ કરશે, ત્યારે હું મુખ્ય વીડિયો પણ શેર કરીશ. હું તમને બધું બતાવીશ. ટૂંક સમયમાં એક પ્રેસ સ્ટેટમેન્ટ પણ જારી કરવામાં આવશે કે એલ્વિશ યાદવની આ કેસમાં કોઈ સંડોવણી નથી. હું હું આ ખૂબ જ વિશ્વાસ સાથે કહું છું. કૃપા કરીને તે વિડિઓ જુઓ અને તેને શેર પણ કરો.”

