ભારતીય ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે પોતાની ઓખળ ઊભી કરનાર અને ઓલરાઉન્ટર બેસ્ટમેન તરીકે પોતાની છબી ધરાવનાર હાર્દિક પંડ્યાને ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. લાંબા સમયની સારવાર છતાં પૂર્ણ રીતે રીકવરી ન આવતા આખરે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
હવે સવાલ એ થવો સ્વાભાવિક છે કે, હાર્દિક પંડ્યાની જગ્યાએ કોણ મેચ રમશે તો હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્ણાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

