35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

PM મોદીની ‘સોપારી’ વાળી ટિપ્પણી પર કપિલે આપી પ્રતિક્રિયા, કહ્યું- તેમના નામ આપો, અમે કેસ કરીશું..


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ‘સોપારી’ ટિપ્પણીના એક દિવસ પછી, રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે રવિવારે તેમને એવા લોકોના નામ પૂછવા કહ્યું કે, જેમણે તેમની છબીને ખરાબ કરવા માટે સોપારી આપી હતી. સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, જો એવું હોય તો ‘ચાલો તેમની સામે કાર્યવાહી કરીએ’.

પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો

શનિવારે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ, મોદીએ ત્યાં એકત્ર થયેલી ભીડને સંબોધિત કરતા કહ્યું હતું કે, “આપણા દેશમાં કેટલાક એવા લોકો છે જે 2014થી આ નક્કી કરીને બેઠા છે અને તેઓ જાહેરમાં બોલ્યા પણ છે. તેમણે પોતાનો સંકલ્પ જાહેર કર્યો છે કે અમે મોદીની છબીને કલંકિત કરીશું. વડાપ્રધાને કહ્યું હતું કે, ‘આ માટે આ લોકોએ વિવિધ અન્ય લોકોને સોપારી પણ આપી છે અને મોરચો ઉપાડ્યો છે. આ લોકોને ટેકો આપવા માટે કેટલાક લોકો દેશની અંદર છે તો કેટલાક દેશની બહાર બેસીને પોતાનું કામ કરી રહ્યા છે.

પીએમના નિવેદન પર સિબ્બલનો પલટવાર

આ ટિપ્પણીઓના જવાબમાં વરિષ્ઠ વકીલ સિબ્બલે કહ્યું કે, ‘મોદીજીએ આરોપ લગાવ્યો છે કે દેશની અંદર અને બહાર કેટલાક લોકોને મોદીની કબર ખોદવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, કૃપા કરીને અમને એવા લોકો, સંસ્થાઓ અથવા દેશોના નામ જણાવો. આ કોઈ સત્તાવાર રહસ્ય ન હોઈ શકે. તો ચાલો તેમની સામે કાર્યવાહી કરીએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -