26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અમદાવાદથી શિરડી જવું બનશે સરળ, ફ્લાઈટ કરાશે શરુ, બુકિંગ થયું, જાણો કેટલું હશે ભાડું


અમદાવાદથી શિરડી જવું ભાવી ભક્તો માટે સરળ બનશે. અમદાવાદથી નાસિકની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. 3 હજાર ભાડામાં લોકો આ મુસાફરી કરી શકશે.

ગુજરાતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિરડી જતા હોય છે. માર્ચ આસપાસના સમયગાળામાં આ ફ્લાઈટ શરુ કરવામાં આવશે. ફ્લાઈટ શરૂ થવાથી શિરડી સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગો કે રોડ-વે શોધવાથી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે. અમદાવાદથી અલાયન્સ એરની ફ્લાઈટ થોડા સમય પહેલા જ બંધ કરી દેવામાં આવી છે પરંતુ આ સુવિધાથી લોકો માટે મુસાફરી સરળ બનશે.

નવા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ થશે

આ ફ્લાઈટ માટે અત્યારથી જ બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. માર્ચથી શરૂ થતા ઉનાળાના શિડ્યુલમાં અમદાવાદથી નાસિકનીવચ્ચે આ સુવિધા માટે એરલાઈન્સ સિસ્ટમ પર બુકિંગ લોકો કરાવી શકે છે. એરલાઇન કંપનીઓ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે. અગાઉ ટૂંકા ગાળા માટે સંચાલન કર્યા પછી કેટલીક ફ્લાઇટ્સ બંધ કરવાની ફરજ પડી હતી. હવે અમદાવાદથી નાસિક ફ્લાઈટ શરુ થતા લોકોને રાહત મળશે.

આ રહેશે સિડ્યુઅલ 

ફ્લાઈટનો ટેકઓફ ટાઈમ નાસિકથી બપોરે 3.45 વાગ્યેનો રહેશે સાંજે 5.25 વાગ્યે ફ્લાઈટ અમદાવાદ પહોંચશે.

અમદાવાદ જનાર મુસાફરો માટે સાંજે 5.50 વાગ્યે ફ્લાઇટ 7.15 વાગ્યે નાસિક પહોંચશે.

 3000 વન વેનું ભાડું રહેશે 

ઇન્ડિગોએ અમદાવાદથી નાસિક સુધીની ફ્લાઇટ લગભગ રૂ. 3000ના વન વે ભાડા સાથે શરૂ કરી છે. આ એરક્રાફ્ટ 73 સીટરનું રહેશે. જે માટે અત્યારથી જ બુકિંગ શરુ થઈ ગયા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -