ઈરાન અને હવે રશિયાએ બતાવેલા માર્ગની આગામી દિવસોમાં એવી અસર પડી શકે છે કે ભારત અન્ય દેશો સાથે વેપારમાં રૂપિયાની લેવડ-દેવડના વિકલ્પ પર ભાર મૂકશે. તેના કારણે ડોલર પરની નિર્ભરતા ઓછી થશે અને નિકાસને વેગ મળશે.
આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય કુમાર ચૌધરીનું કહેવું છે કે ડિજિટલ કરન્સી સિસ્ટમમાં કાર્યક્ષમતા લાવશે. ચુકવણીના મોડમાં નવી લવચીકતા આપવા ઉપરાંત, તે વિદેશી ચુકવણીઓને પણ પ્રોત્સાહન આપશે. સામાજિક અને આર્થિક પરિણામોના કારણે થતા નુકસાનને પણ ટાળી શકાશે.
ડિજિટલ રૂપિયાનો ઉપયોગ UPI, NEFT, RTGS, IMPS, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા ચૂકવણી માટે કરી શકાય છે. આ પરંપરાગત ઓનલાઈન વ્યવહારોથી અલગ છે.
MSMEઃ 1.31 કરોડ લોકોને રોજગારી મળી
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) એ આ વર્ષે વિવિધ પડકારોનો સામનો કર્યો. જેના કારણે નાના ઉદ્યોગોને મોટી અસર થઈ હતી. ઉદ્યમ પોર્ટલ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 8 ડિસેમ્બરની વચ્ચે 7,995 ઉદ્યમ-રજિસ્ટર્ડ MSME બંધ થયા છે. દરમિયાન, MSMEએ 1.31 કરોડ લોકો માટે રોજગારીની તકો ઊભી કરી છે.
ECLGS એ આ વર્ષે 13.5 લાખ નાના ઉદ્યોગો અને 1.5 કરોડ નોકરીઓ બચાવી છે.
સરકારનું 2024-25 સુધીમાં 5 કરોડ વધુ નોકરીઓ આપવાનું લક્ષ્ય છે.

