33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

નવસારીના વેસ્મા ગામ નજીક બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત નવ લોકોનાં મોત ,30 લોકો ઘાયલ


પીએમ નરેન્દ્ર મોદી,અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગુજરાતના નવસારીમાં થયેલી બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો.આ સાથે તેમણે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી.આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા.ગુજરાતના નવસારીમાં એક મીની બસ અને એસયુવી વચ્ચેની અથડામણમાં 9 લોકોના મોત થયા હતા.જ્યારે 30 લોકો ઘાયલ થયા હતા.આ હૃદયદ્રાવક ઘટના અંગે પીએમથી લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો.સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
તેમણે ટ્વીટમાં કહ્યું, ‘ગુજરાતના નવસારીમાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ હ્રદયસ્પર્શી છે.આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન શ્રી રામ મૃત આત્માઓને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો
પીએમ મોદીએ પણ નવસારીમાં થયેલા અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું . તેમણે ટ્વીટમાં કહ્યું કે, ‘નવસારીમાં માર્ગ અકસ્માતમાં લોકોના મોતથી હું દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. તેમણે કહ્યું કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે ઘાયલોને 50,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.
ભયાનક અકસ્માતને લઈને અમિત શાહે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું ગુજરાતના નવસારીમાં થયેલ સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે, તેઓની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.બસમાં સવાર એક શ્રદ્ધાળુ ને પણ હાર્ટ એટેક આવ્યો હતો.નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર વેસ્મા સર્કલ પાસે અકસ્માત થયો હતો. એસયુવી ફોર્ચ્યુનર વલસાડથી અંકલેશ્વર જઈ રહી હતી, જ્યારે લક્ઝરી મીની બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -